Add parallel Print Page Options

યર્મિયાએ ફરી દેવને ફરિયાદ કરી

10 પછી યર્મિયાએ કહ્યું, “હે મારી મા, તેં આ દુ:ખીયારાને શા માટે જન્મ આપ્યો!
    મારે દેશમાં બધા સાથે ઝગડો
તથા તકરાર કરવાં પડે છે!
    મેં નથી કોઇની પાસે ઊછીનું લીધું કે,
નથી કોઇને ઉછીનું આપ્યું,
    તેમ છતાં બધાં મને શાપ શા માટે આપે છે?
11 હે યહોવા, સાચે જ મેં તારી હૃદયપૂર્વક સેવા કરી નથી?
    મારા દુશ્મનો જ્યારે આફતમાં આવી પડ્યા,
    દુ:ખમાં આવી પડ્યા ત્યારે તેમના તરફથી તને મેં પ્રાર્થના નથી કરી?”

દેવે યર્મિયાને જવાબ આપ્યો

12 “શું કોઇ માણસ સળીયા
    એટલે ઉત્તરના દેશનાં લોખંડ
તથા કાંસુ ભેળવીને
    બનાવેલા સળીયા ભાંગી શકે?
13 હું તમારી મિલકતોને
    અને ખજાનાઓને લૂંટાવી દઇશ.
લોકોએ આના માટે કશું ભરવું નહી પડે.
    આનુ કારણ એ છે કે આખા દેશમાં
    તમે બધાયે મારી વિરુદ્ધ આચરેલા પાપ.
14 હું તમને અજાણ્યા દેશમાં
    તમારા દુશ્મનોના ગુલામ બનાવી દઇશ,
કારણ મારો ક્રોધ તમારી પર ભભૂકી ઊઠયો છે
    અને મારો ક્રોધ જેને ઓલવી ન શકાય
    તેવો ભડભડતા અગ્નિ જેવો છે.”

15 યર્મિયાએ કહ્યું, “હે યહોવા, તમે બધું જાણો છો,
    મને યાદ કરો ને મદદ કરો,
મને સતાવનારા પર વૈર લો.
    જ્યારે તમે તેમની સાથે ધીરજ રાખો છો,
ત્યારે તેઓ મને દૂર લઇ ન જાય. જરા,
    જુઓ તો ખરા,
તમારે ખાતર
    હું કેટકેટલાં અપમાન સહન કરું છું!
16 તમારા વચનો મને ટકાવી રાખ્યો છે;
    મારા ભૂખ્યા આત્માનું તે ભોજન છે,
તે મારા દુ:ખી હૃદયને આનંદિત અને હષિર્ત કરે છે.
    હે સૈન્યોના દેવ યહોવા, તમારું નામ ધારણ કરીને હું કેટલો ગર્વ અનુભવું છું.
17 મેં કદી નિરર્થક મોજમજા કરનારાઓના સંગમાં આનંદ માણ્યો નથી.
    તમે મને બનાવ્યો છે
અને એમના પ્રત્યે મારામાં પુણ્યપ્રકોપ જગાડ્યો છે
    તેથી હું અળગો રહ્યો છું.
18 મારાં દુ:ખોનો કોઇ પાર નથી,
    મારો ઘા અસાધ્ય કેમ છે,
રુઝાતો કેમ નથી?
    તમારી મદદ ચોમાસામાં વહેતાં ઝરણાં જેવી અચોક્કસ છે.
    કોઇ વાર પૂર આવે અને પછી હાડકાં જેવું એકદમ સૂકું હોય.”

19 યહોવાએ પ્રત્યુત્તર આપ્યો, “જો તું મારી પાસે પાછો આવીશ
    તો હું તને મારી સેવામાં પાછો રાખીશ.
તું જે કહે તે નિરર્થક નહોતાં,
    યથાયોગ્ય હોય તો હું તને મારાવતી બોલનારો બનાવીશ.
લોકો વળીને તારી પાસે આવવા જોઇએ,
    પણ તારે તેમની પાસે જવાનું નથી.
20 હું તને એ લોકો સામે પિત્તળની
    ભીંત જેવો બનાવી દઇશ,
તેઓ તારી સામે લડશે
    પણ તને હરાવી નહિ શકે.
કારણ, તારું રક્ષણ કરવા
    અને તને બચાવવા
હું તારી સાથે જ છું.”
    આ યહોવા વચન છે.
21 “હા, આ દુષ્ટ માણસોના હાથમાંથી હું તને જરૂર બચાવીશ
    અને જુલમગારોના પંજામાંથી મુકત કરાવીશ.”
આ યહોવાના વચન છે.

Read full chapter